ફાયર સેફ્ટી ટીમ ની દબંગાઈ આવી સામે , નોટીસ આપ્યા વગર ૧૦ થી વધુ દુકાનો ને માર્યા સિલ.

ભાવનગરઃ

શહેર ના હલુરિયા ચોક માં આવેલ કોમ્પલેક્ષ ની દુકાનો ને ગત રાત્રિ ના ફાયર એન્ડ સેફ્ટી ટીમ આવી અને કોઈ નોટીસ આપ્યા વગર ૧૦ થી વધુ દુકાનો ને સિલ માર્યા હતા જેને લઈ આજે સવારે દીવાનપરા રોડ તેમજ વોરબજર ના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી .

રાજકોટ ની ઘટના બાદ અનેક જિલ્લા તંત્ર હરકત માં આવ્યા પણ પ્રથમ ક્યાં ગયા હતા..?

રોજકોટ અગ્નીકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળુ જાગી ને કામગીરી કરવા લાગ્યુ છે અને નોટિસો આપી સિલ મારવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ એજ ફાયર એન્ડ સેફ્ટી વિભાગ છે જેની NOC વગર કોઈ કોમ્પલેક્ષને કોર્પોરેશન મંજૂરી નથી આપતું જો ત્યારે NOC આપી હતી તો અત્યારે આટલી દબંગાઈ કેમ?

એટલી હદે સફાળું તંત્ર જાગ્યું કે નોટિસ વગર સિલ કરાયું…

હુલીરિયા ચોકમાં આવેલ કોમ્પલેક્ષ માં ગત રાત્રીના ૧૦ થી વધુ દુકાનો ને સિલ મરાયા હતા જેને લઈ દીવાનપરા રોડ ના વેપારીઓ રોષે ભરાયાં હતાં અને સ્વંભુ દુકાનો બંધ રાખી હતી આ સાથે વોરાબજાર વેપારી એસોિયેશનના વેપારી સાથે જોડાઈ ને ટેકો જાહેર કર્યો હતો .
વેપારીઓ નું કેહવા પ્રમાણે ફાયર એન્ડ સેફ્ટીનો વિરોધ નથી પરંતુ અમોને તંત્ર દ્વારા કથિત ફાયર માટે ની ઉચિત ગાઈડલાઈન અને સમય મળે તેવી માંગ છે .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)