બનાસકાંઠામાં ૨૮ જૂનના રોજ અધિક્ષક ડાકઘર પાલનપુરની કચેરીમાં ડાક અદાલત યોજાશે.

બનાસકાંઠા

બનાસકાંઠા ડીવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ કરવા તારીખ ૨૮.૦૬.૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા, પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી, બનાસકાંઠા ડિવીઝન,પાલનપુરને તારીખ ૨૫.૦૬.૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ આવેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરીયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ એમ ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી, પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)