જૂનાગઢ, તા. ૧૬ મે:
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ દરમિયાન એનરોલ થયેલા અને સ્નાતક કક્ષાનાં પરીક્ષામાં અનુતિર્ણ રહેલા વિદ્યાર્થીઓ માટે એક જ નિશ્ચિત તક આપવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર ૦૧ થી ૦૬ સુધીની ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે ફોર્મ ઓનલાઇન, યુનિવર્સીટીની અધિકૃત વેબસાઇટ www.bknmu.edu.in પર તારીખ ૨૯-૦૫-૨૦૨૫ થી ૧૨-૦૬-૨૦૨૫ સુધી કોલેજ દ્વારા ભરી શકાય છે.
વિશેષ માહિતી માટે યુનિવર્સીટીની વેબસાઇટ પર અપડેટ રહેવા અને પરીપત્ર પણ જોતા રહેવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતે યુનિવર્સીટીના કાર્યકારી કૂલસચિવ ડો. મયંક સોનીએ વિદ્યાર્થીઓને યાદી પણ આપી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ