ભજનીક લિબાભાઈએ ભત્રીજાના અવસાન બાદ તેની પત્નીના બીજા લગ્ન કરાવી કર્યું કન્યાદાન – હસનાપુર ગામે લોકમાનવતાનું એક અજોડ ઉદાહરણ


વિસાવદર તાલુકાના હસનાપુર ગામે ભજનીક તરીકે ઓળખાતા લિબાભાઈએ માનવતા અને Karunabhav નું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના ભત્રીજા ચતુરભાઈ આંબાભાઈના દુઃખદ અવસાન બાદ, પોતાની પુત્રી સમાન તેમનાં વહુ નયનાબેનના નવા જીવન માટે તેમણે એક સાર્થક પગલું ભરી સમાજ માટે દીપસ્તંભ બની રહ્યાં છે.

લિબાભાઈએ હસનાપુર ગામના જ યુવક સંજયભાઈ સાથે નયનાબેનના લગ્નનો નિર્ણય લીધો, અને પરિવારજનોની સંમતિ બાદ વિસાવદરના ગાયત્રી પ્લોટ સ્થિત ગાયત્રી માતાજી ના મંદિરમાં હિંદૂ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્ન વિધિ સંપન્ન કરાવી. આ દરમિયાન પૂજારી ભગવતીપ્રસાદ દ્વારા તમામ વિધિઓ કરાવવામાં આવી હતી.

લિબાભાઈએ પોતાની દીકરી સમાન નયનાબેનનું કન્યાદાન કરી એક એવું ભાવનાત્મક દૃશ્ય ઊભું કર્યું કે જ્યાં ઉપસ્થિત દરેકની આંખો ભીંજાઈ ગઈ. લગ્નમાં સગાસંબંધીઓ, જ્ઞાતિજનો અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને લિબાભાઈના આ નિર્ણયની પ્રશંસા કરી.

ભજનીક અને સમાજસેવી તરીકે ઓળખાતા લિબાભાઈએ એક વેધક સંજોગે પણ હિંમતભર્યું અને માનવતાભર્યું પગલું ભરી સમાજમાં મહિલા પునર્વિવાહ અંગે એક શક્તિશાળી સંદેશો પાઠવ્યો છે.


અહેવાલ: આસીફ કાદરી વિસાવદર