ભરૂચ જીલ્લામાં ગૌરીવ્રતનો શ્રધ્ધાભેર પ્રારંભ

ભરૂચ

ભારતીય સંસ્કૃતિની પરંપરા તૂટી : પહેલા ઘરે વિવિધ ધાન્યથી જવારાનું વાવતેર કરી સ્થાપન કરાતું હતું.હવે બાળાઓ તૈયાર જવારા લાવી પોતાના ઘરે સ્થાપના કરી ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો

ભરૂચ સહિત ગુજરાત ભરમાં ગૌરી વ્રત ના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ મુજબ વાંસની ટોપલીમાં વ્રતના પ્રથમ દિવસે સાત અલગ અલગ ધાન્યથી વાવેતર કરી પાંચ દિવસ જવારા ઉગી નીકળતા હોય છે પરંતુ હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભુલાઈ હોય તેમ બજારોમાં તૈયાર જવારા ની બોલબાલા વચ્ચે લોકો પણ તૈયાર જવારાનું સ્થાપન કરી પાંચ દિવસ વ્રત ઉપવાસ બાદ અંતિમ દિવસે જવારાનું વિસર્જન કરી ગૌરી વ્રતનું સમાપન કરે છે.

હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભુલાઈ રહી હોય તેમ તૈયાર જવારાની બોલબાલા વધી ગઈ છે.જેના કારણે લોકો અને વ્રત કરતી બાળાઓ ઘરે જવારાનું વાવેતર ભૂલી બજારમાં મળતા તૈયાર વાંસની ટોપલીમાં વાવેતર કરાયેલા જવારા નું સ્થાપન કરી પાંચ દિવસ આ જવારાની પૂજા અર્ચના કરી ગૌરી વ્રત મનાવી રહ્યા છે.પરંતુ આ પરંપરામાં ભારતીય સંસ્કૃતિની પરંપરા લુપ્ત થઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગૌરી વ્રત ની અનોખી પરંપરા મુજબ પર્વ મનાવવામાં આવે છે.અગાઉ ગૌરી વ્રત કરતી બાળાઓ અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓ માં છાણીયુ ખાતર નાંખી તેમાં ડાંગર.ધઉં,જવ,તુવેર,જાળ ચોખા અને તલ એમ સાત ધાન વાવી ગૌરી વ્રતનો પ્રારંભ કરતા હતા અને પાંચ દિવસ સુધી જવારાને જળ અર્પણ સાથે ફુલહાર કરી પૂજા અર્ચના કરી પાંચ દિવસ બાદ અંતિમ દિવસે વાવેતર કરેલા જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરવાની પરંપરા હતી.

પાંચ દિવસ ગૌરી વ્રત મનાવવામાં બાળાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને પાંચ દિવસ બેગ બગીચા,પીકનીક પોઈન્ટો બાળાઓથી ઉભાઈ ઉઠનાર છે.

અહેવાલ:- નીતિન માને (ભરૂચ)