ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર ડ્રાઈવ, 2 દિવસમાં 11 થી વધુ હોટલો ધર્મશાળા સીલ કરાઈ હોટલ સંચાલકો અને ધર્મશાળા માલિકોમાં ફફડાટ.

બનાસકાંઠા

બનાસકાંઠામાં આવેલું અંબાજી એટલે કે માઁ અંબાનું ધામ ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે,ત્યારે અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો- ધર્મશાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં ફાયર સેફટી ન હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા એનઓસી સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી,જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને 2 દિવસમાં 11 થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ છે.

અંબાજીમાં ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુર થી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથધરીને જે હોટલો ધર્મશાળાઓ એ એનઓસી માટે અપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને આજે સીલ કરવામાં આવ્યા હતા. શનિવારે 5 એકમોને અને સોમવારે 6 એકમોને સીલ કરાયા હતા. સોમવારે અંબાજીની અંબેવેલી હોટલ, ચરોતર સરદાર પટેલ ધર્મશાળા, ચૌધરી ધર્મશાળા, ભગવતી પાર્ટી પ્લોટ, શ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી. હજુ આ ફાયર વિભાગની ડ્રાઇવ અંબાજીની કોમર્શિયલ હોટલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ છે. પ્રદીપ બારોટ, ફાયર ઓફિસરની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

અહેવાલ :- ગુજરાત બ્યુરો