રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર નદીમાં હાલ ભાદર-2 ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં જોરદાર પ્રવાહ સર્જાયો છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં લોકો જાહેરનામાની ઉલંઘના કરતા જોવા મળ્યા છે.
જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ જાહેરનામું જાહેર કરીને નદીના પ્રવાહમાં અને પ્રતિબંધિત વિસ્તારોમાં અવરજવર નહીં કરવા માટે આદેશ આપ્યો છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર અને પોરબંદર સુધીના નદીકાંઠાના ગામોને ખાસ ELFRT આપવામાં આવ્યા છે. તંત્રની ટીમો સતત નજર રાખી રહી છે છતાં કેટલાક લોકોએ ભાદર નદીના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરી તંત્રના જાહેરનામાની અવગણના કરી છે.
ભાદર નદી હાલમાં તીવ્ર પ્રવાહ સાથે વહેતી હોવાથી નદીમાં અવરજવર કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા ફરી એકવાર લોકોને નદીના પટમાં, પ્રવાહમાં તેમજ નદીકાંઠા વિસ્તાર નજીક પણ ન જવાનું નિવેદન આપવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પ્રશાસને જાહેરનામાનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
મહત્વપૂર્ણ અપીલ:
જાહેર જનતાને તંત્ર દ્વારા બારંબર અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના અને પોતાના પરિવારના જીવની સલામતી માટે નદીના પ્રવાહમાં અને પ્રતિબંધિત વિસ્તારમાં ન જઈ, તંત્રને સહકાર આપો.