ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ

જૂનાગઢ:

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પુણ્યશ્લોક મહાન વીરોમાંની એક અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ પર જનહિત માટે અનેક તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવીને ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા કરનાર, પ્રજાપ્રિય પ્રશાસક અને મહિલા સશક્તિકરણના પ્રતીક અહિલ્યાબાઈ હોલકરના જીવનકથાનકથી પ્રેરણા લેવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો.

બેજોડ કર્તવ્યપરાયણતા, નિષ્ઠા અને સેવાના ગુણોથી સમૃદ્ધ તેમનું જીવન સમાજ માટે પ્રેરણાસ્પદ છે. આથી લોકોને તેમના જીવનચરિત્ર વિશે વધુ જાણકારી મળવા અને તેમથી પ્રેરણા મેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાનાં માર્ગદર્શન હેઠળ સંયોજક મુકેશભાઈ ગજેરા, સહ સંયોજક હિમાંશુભાઈ ગોરાણીયા અને સહ સંયોજક જ્યોતિબેન વાડોલીયાની ઉપસ્થિતિમાં BJP મહાનગર કાર્યાલયથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ત્યારબાદ રથને શહેરના વિવિધ વોર્ડોમાં લઈ જવામાં આવી અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી લોકો દ્વારા ઉમટાયેલા સ્નેહભર્યા સ્વાગત સાથે રથયાત્રા સફળતાપૂર્વક સમાપ્ત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં BJP જૂનાગઢ મહાનગરનાં હોદેદારો, આગેવાનો, પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ