આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચના અને જુનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ તથા ધારાસભ્ય સંજયભાઈ કોટડીયાનાં નૈતૃત્વમાં 14 એપ્રિલે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ પર પુષ્પમાળાઓ અર્પણ કરી મીઠાઈઓ ખવડાવી સામુહિક રીતે સંવિધાન પ્રસ્તાવ વાંચન કરી ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજી સન્માન અભિયાનનો કાર્યક્રમ આખા જુનાગઢમાં બુથ વાઇસ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જૂનાગઢ મહાનગરના તમામ પદાધિકારીઓ જુનાગઢ મહાનગરના સંગઠનના તમામ કાર્યકર્તાશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જેમાં ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર દંડક કલ્પેશભાઈ અજવાણી, પ્રદીપભાઈ ખીમાણી, ગીતાબેન પરમાર, કમલભાઈ ચુડાસમા, મનુભાઈ મોકરીયા, અભયભાઈ રીબડીયા, જીતુભાઈ પરમાર, જીતુભાઈ મણવર, જે કે ચાવડા,યોગીભાઈ પઢિયાર, મોહનભાઈ પરમાર, પ્રદીપભાઈ વાઘેલા, વિજય દાફડા, લીલાભાઈ પરમાર, પ્રવીણભાઈ વાઘેલા, વાલભાઈ આમસેડા,જાગૃતિ બેનવાળા,હસમુખભાઈ મકવાણા પૂનમબેન પરમાર, મધુબેન મિયાત્રા વનિતાબેન આમછેડા, ભાવનાબેન વ્યાસ, ચંદ્રીકાબેન રાખસીયા, ભરતભાઈ બાલસ, જીતું ઠકરાર યુવા મોરચા અનુ જાતિ મોરચા મહિલા મોરચા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
તેમજ વોર્ડ નં. ૧૧નાં કોર્પોરેટરોના કાર્યાલય ખાતે પણ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નીમીતે જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 11 મા કોર્પોરેટર કાર્યાલય રોયલ પાર્ક ખાતે મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તથા વોર્ડ પ્રમુખ ભાવેશભાઈની ઉપસ્થિતમા કોર્પોરેટર શૈલેષભાઈ દવે, દિવ્યાબેન પોપટ, મનોજભાઇ પોપટ, તુષાર સોજીત્રા, મિલન ભટ્ટ, વીમલભાઈ શાહ વગેરેએ આદરણીય બાબા સાહેબ આંબેડકરજીની ચિત્ર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ