ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, નવી કારોબારીની વરણી સાથે શપથવિધિ પણ યોજાઈ!

📍 કેશોદ | તા. 07 એપ્રિલ 2025, સોમવાર
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની વાર્ષિક સાધારણ સભા વૃંદાવન પાર્ક ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. શાખાને 6 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમમાં વાર્ષિક કાર્યક્રમોનું લેખાજોખા કરવામાં આવ્યું અને નવા હોદ્દેદારોની કારોબારીની શપથવિધિ પણ સંપન્ન થઈ.


નવી કારોબારીની વરણી:

  • પ્રમુખ: આર.પી. સોલંકી
  • મંત્રી: જીતેન્દ્ર પટેલ
  • ઉપપ્રમુખ: નિશાતભાઈ પુરોહિત
  • સહમંત્રી: વિજયભાઈ એન. મહેતા
  • ખજાનચી: જયદીપભાઈ સોની
  • સંગઠન મંત્રી: પ્રો. ડૉ. પ્રવિણભાઈ ગજેરા
  • મહિલા સંયોજીકા: શ્રીમતી કંચનબેન પી. ગજેરા
  • મહિલા સહ સંયોજીકા: શ્રીમતી શારદાબેન રાખોલીયા
  • મિડિયા સેલ કન્વીનર: દિનેશભાઈ કાનાબાર

🔆 કાર્યક્રમના મહત્વના પાસાં:

  • દીપ પ્રાગટ્ય અને વંદે માતરમથી કાર્યક્રમનો આરંભ
  • પ્રાંત અને રિજિયન સ્તરના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા
  • વર્ષના આવક-જાવક હિસાબો ખજાનચી શ્રી જયદીપભાઈ સોની દ્વારા રજૂ કરાયા
  • શપથવિધિનું સંચાલન શ્રી કરસનભાઈ મહેતાએ કર્યું
  • નવા પ્રમુખ આર.પી. સોલંકીએ આગામી યોજનાઓ અંગે દિશા દર્શાવી
  • પ્રફુલભાઈ ગોસ્વામી દ્વારા આરએસએસના શતાબ્દી વર્ષ અંગે માર્ગદર્શન
  • સંસ્થાના સ્થાપક પ્રમુખ તન્ના સાહેબ દ્વારા રાષ્ટ્રીય મૂલ્યો અંગે ઊંડા વિચાર

🎙️ અંતે:

કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડૉ. ભૂપેન્દ્રભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું અને જીતેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌનું આભાર માન્યું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું.


📸 અહેવાલ: રાવલિયા મધુ – કેશોદ