ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયાએ પોતના જન્મ દિવસે ક્રેસન્ટના ગણપતિજી ની આરતી ઉતારી.

ભાવનગર

ગણપતિ ઉત્સવમાં ભાવનગર ભાવ વિભોર થયુ છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાવનગર સાસંદ નીમૂબેન બાંભણિયાએ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ખાતે પધરવેલ ગણેશજી ની આરતી ઉતારી હતી.સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષ થી ક્રેસન્ટ સર્કલ માં ગણેશજી સ્થાપના કરી ભવ્ય આયાજનો કરવામાં આવે છે . દર વર્ષે નવી નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે , કોરોના કાળમાં ગણેશજી ની સ્થાપના નહતો થઈ ત્યારે આ જ જગ્યાએ દસ દિવસ માટે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ નું આયોજન કરી સમાજ લક્ષી કામો કરવામાં આવ્યા હતા . સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં શિહદ જવાનોના પરિવારને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સહાય કરવામાં આવી હતી. મંડળ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે . મંડળમાં ૬૫ થી વધુ કાર્યકરો કાર્યરત છે .કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયા નો આજના દિવસે જન્મ દિવસ હોવાના કારણે અહી આરતી ઉતારી હતી

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)