ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર રથયાત્રાની તૈયારીઓને લઇને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ.

ભાવનગર

સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ૩૮ વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૩૯ મી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે.આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટર આર. કે. મહેતાએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર દ્વારા રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓના કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય, રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.

રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાએ રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે તે માટેના વિવિધ સૂચનો કર્યાં હતાં , જેમાં ટ્રી કટિંગ , વીજતારો ઉપર કરવા અને કેબલ વાયરો ઉપર લેવડાવવા જેથી રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર ભાવેણાવાસીઓ માટે ફરશે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ અને સગવડોની માહિતી તેમણે આપી હતી તથા તંત્ર પાસેથી જરૂરી મંજૂરી તથા સહકારની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારી એચ. એમ. ઝણકાટ રથયાત્રા સમિતિના સભ્યો, જિલ્લાના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

એહવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)