ભાવનગરમા ભગવાન જગ્નાથજીની , બડે ભૈયા બલરામ અને બહેન સુભદ્રાજીના વાઘા અને સાફા થયા તૈયાર

ભાવનગર

છેલ્લા ૩૮ વર્ષ થી ભગવાન જગ્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે અને નગરચર્યાએ નીકળેલા ભગવાન ના દર્શન માટે લોકો ઉમટી પડે છે ભગવાનના વાઘા જોઈ લોકોમાં વધુ આસ્થા નો ભાવ જાગે છે .

છેલ્લા ૨૫ વર્ષ અવિરતપણે વાઘા ની સેવા આપતા હરજીવનભાઈ દાણીધરીયા દ્વારા કલાત્મક વાઘા ભગવાન જગ્નનાથજી , બડે ભૈયા બલરામ અને બહેન સુભદ્રાજી તૈયાર થઈ ચૂક્યા છે તેમજ સાફા તૈયાર કરવાની સેવા વર્ષોથી પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા કરવામાં આવે છે . આ તકે વાઘા તથા સાફા માટે નું આર્થિક યોગદાન ધીમંતભાઈ રાડિયા પરિવાર દ્વારા દેવામાં આવ્યું છે .

એહવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)