ભાવનગરમા રથયાત્રા સંદર્ભે રેન્જ IG સહિત પોલીસ કાફલાએ રથયાત્રા રૂટ ઉપર પેટ્રોલિંગ કર્યુ.

ભાવનગર

ભગવાન જગ્નાથજીની ની ૩૯મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે પોલીસતંત્ર દિવસે ને દિવસે કડક બનતું જાય છે , સાંજના સમયે રેન્જ IG ગૌતમ પરમાર સહિત પોલીસ કાફલાએ ૧૭ કિમી ના રૂટ ઉપર પેટ્રોલિંગ કર્યુ હતુ

૩૯મી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટેના તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે , સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર થી રથયાત્રા નીકળવાની છે ત્યારે રેન્જ IG ગૌતમ પરમાર, SP ડો હર્ષદ પટેલ, Dysp આર.આર.સિંઘાલ પ્રથમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી ના દર્શન કર્યા હતા , ત્યાર બાદ IG ગૌતમ પરમારે જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે ૩૨૦૦ જેટલી પોલીસ જવાન , માઉન્ટેડ પોલીસ , ડ્રોન , CCTV , દ્વારા રથયાત્રા સમયે તૈનાત કરવામાં આવશે .

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)