ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન બાદ હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી પોહચ્યા ગુરૂઆશ્રમ બગદાણા.

ભાવનગર

સંત બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા,જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, મેયર ભરતભાઈ બારડે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યુ સ્વાગત તથા અભિવાદન કર્યુ હતું.

રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યુ સ્વાગત તથા અભિવાદન કર્યુ

આ અવસરે મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, ભાવનગર આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર,પ્રોબેશનરી આઈ.એ.એસ.અધિકારી આયુષી જૈન, અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લાના આગેવાન શ્રી અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા ગુરુ આશ્રમ બગદાણા પોહચ્યા હતા જ્યાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા કલેકટરઆર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી ઈશિતા મેર, આગેવાન મહેન્દ્ર સિંહ સરવૈયા, ભરતભાઈ મેર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને ગુરુઆશ્રમ બગદાણાના ટ્રસ્ટીઓ સહિત મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યુ હતુ.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)