ભાવનગર-પોરબંદર અને રાજકોટ-પોરબંદર દૈનિક ટ્રેनोंને તરસાઈ સ્ટેશન પર મળશે નવી સહولت – 25 જુલાઈથી શરૂ થશે સ્ટોપેજ.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ અને ટ્રેન નંબર 59560/59557 ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક ટ્રેનોને હવે તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપ મળશે.

આ બંને ટ્રેનો 25 જુલાઈ, 2025 (શુક્રવાર)થી તરસાઈ સ્ટેશન પર થોડી ક્ષણો માટે ઉભી રહેશે. આ જાહેરાત ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલકુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે.

ટ્રેન નં. 59560 – ભાવનગર ટર્મિનસ → પોરબંદર

  • તરસાઈ પહોંચશે: 21:01 વાગ્યે

  • ઉપડશે: 21:02 વાગ્યે

ટ્રેન નં. 59557 – પોરબંદર → ભાવનગર ટર્મિનસ

  • તરસાઈ પહોંચશે: 07:49 વાગ્યે

  • ઉપડશે: 07:50 વાગ્યે

ટ્રેન નં. 19571 – રાજકોટ → પોરબંદર

  • તરસાઈ પહોંચશે: 10:52 વાગ્યે

  • ઉપડશે: 10:53 વાગ્યે

ટ્રેન નં. 19572 – પોરબંદર → રાજકોટ

  • તરસાઈ પહોંચશે: 14:55 વાગ્યે

  • ઉપડશે: 14:56 વાગ્યે

મુસાફરોને વધુ માહિતી માટે રેલ્વેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ