ભાવનગર: પાટણ જીલ્લાના ગુમ થયેલા યુવક રોહિતજી ભાઇચંદજી બળવતજી ઠાકોર (ઉંમર ૧૯)ને ભાવનગર S.O.G. ટીમે સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. આ કાર્યવાહી મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સૂચના પ્રમાણે કરવામાં આવી છે, જેમણે ભાવનગર શહેર અને જીલ્લામાં રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે સઘન ચેકીંગનું આદેશ આપ્યો હતો.
ભાવનગર S.O.G. ની ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા અને જેડી બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તેમજ અન્ય સ્ટાફ સાથે રેલ્વે સ્ટેશન ખાતે પેટ્રોલિંગ અને ચેકીંગ દરમ્યાન પાટણ જીલ્લાના બાબતો પરથી ગુમ થયેલા યુવકને ઓળખી લિધું.
યુવકનું નિવાસ ભાટસણ, તાલુકો સરસ્વતી, જીલ્લો પાટણ છે. મળતાની વિગત નિલમબાગ પોલીસ સ્ટેશનને સોપાઈ છે અને યુવકના વાલીઓને જાણ કરી, કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
S.O.G. ટીમમાં ધર્મરાજસિંહ જાડેજા, પાર્થભાઈ ધોળકીયા અને મીનાજભાઈ ગોરી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
આ કામગીરીમાં સામેલ પોલીસ સ્ટાફને જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા પ્રશંસા મળેલી છે.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર