મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના 200 કિલો ફૂલોનો દિવ્ય શણગાર ધરાવાયો.

વડતાલધામ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણા વાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.24-09-2024ને મંગળવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દાદાને દિવ્ય વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના 200 કિલો ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ.સદ્ શ્રી નૌતમસ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથો સાથ મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે કરાયેલા હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સૂર્યમુખીની થીમવાળા વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. દાદાના વાઘા 25 દિવસની મહેનતે મથુરામાં તૈયાર થયા છે. આ વાઘા મલમલના કાપડમાંથી બન્યા છે અને તેમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને શણગાર કરાયેલા સૂર્યમુખી અને સેવંતીના ફુલ વડોદરાથી મંગાવ્યા હતા. સિંહાસને ફુલનો શણગાર કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શન નો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)