જૂનાગઢ, તા. ૨૮ મે:
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે ૧૯ જૂન ૨૦૨૫ ના રોજ મતદાન થવાનું છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા તમામ મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ સિવાય નીચેના ૧૨ પ્રકારના માન્ય પુરાવા પણ લઈ આવતા:
- આધાર કાર્ડ
- મનરેગા જોબ કાર્ડ
- બેંક / પોસ્ટ ઓફિસ દ્વારા મળતી ફોટોવાળી પાસબુક
- શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ફોટોવાળું હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાનકાર્ડ
- એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
- ભારતીય પાસપોર્ટ
- ફોટો સાથે નામવાળું પેન્શન ડોક્યુમેન્ટ
- કેન્દ્ર/રાજ્ય/પીએસયુ/પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતું સર્વિસ ઓળખ કાર્ડ
- સંસદસભ્યો/વિધાનસભ્યો/વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવતું ઓળખકાર્ડ
- યુનિક ડિસેબિલિટી આઈડી (યુડીઆઈડી) કાર્ડ
- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ઓળખકાર્ડ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ખાસ કરીને તમામ મતદારોને આ તમામ માન્ય ઓળખ પુરાવા સાથે મતદાન માટે હાજર રહેવા વિનંતી કરી છે, જેથી કોઈ મતદારો મતદાન કેન્દ્ર પર ઓળખનો અભાવના કારણે અડચણમાં ના પડે.
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી દ્વારા પણ આ માહિતી માટે પ્રેસ રિલીઝ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ