જુનાગઢના ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આગામી ૧૯ જૂન ૨૦૨૫ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઇને મતદારોમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં વિસાવદરના આંગણવાડીઓમાં એક અનોખો અને સાંસ્કૃતિક પ્રયાસ કર્યો ગોઠવાયો છે, જેમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રંગોળીમાં “મતદાન લોકશાહીનો પ્રાણ” નો પ્રેરક સંદેશ એ રીતે દર્શાવવામાં આવ્યો કે જે દ્વારા સ્થાનિક લોકોમાં જાગૃતિ વધે અને તેઓ પોતાનું કાનૂની હક એટલે કે મતદાન કરવામાં સક્રિય ભાગ લે.
વીસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતી પેટા ચૂંટણી માટે સ્થાનિક લોકો અને સમાજના તમામ સ્તરોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આંગણવાડી કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા આ અભિયાનમાં ઉમદા સહભાગીદારી જોવા મળી રહી છે.
આ ચૂંટણી લોકશાહીના મજબૂત સ્તંભ તરીકે સ્થાન પામતી હોવાથી, દરેક મતદારોને જાગૃતિ સાથે મતદાન કરવાનું અનિવાર્ય બનાવાયું છે. મતદારો માટે આ અવસર માત્ર એક મતદાનું કાર્ય નહીં, પણ એક સામાજિક અને નાગરિક ફરજ પણ છે, જેથી રાજકીય પ્રતિનિધિઓની પસંદગી થાય છે.
આજનો આ રંગોળી અભિયાન એક સુંદર ઉદાહરણ તરીકે આવ્યું છે કે કેવી રીતે પરંપરાગત અને સાંસ્કૃતિક માધ્યમોથી મહત્વપૂર્ણ નાગરિક જાગૃતિ લાવી શકાય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ