મહાનગર પાલિકા જુનાગઢ અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત બહાઉદ્દીન કોલેજ થી કૃષિ યુનિવર્સીટી સુધી તિરંગા યાત્રાનું આયોજન.

જૂનાગઢ

શહેરમાં તા:૧૪/૦૮/૨૦૨૪ બુધવારના રોજ મહાનગરપાલિકા, જુનાગઢ અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સાંજે ૦૪:૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજ થી કૃષિ યુનિવર્સીટી સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા ૭૮માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે તા:૧૫/૦૮/૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે મહાનગરપાલિકા કચેરી, આઝાદ ચોક ખાતે કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને તેમજ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ,જુનાગઢ શહેરના આગેવાનશ્રીઓ,શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન તેમજ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રી ઓની શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.ઉપરોક્ત બંને કાર્યક્રમમાં સૌ શહેરીજનોને જોડાવા મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)