ગીર સોમનાથ જિલ્લાના હદભરમાં આવનારા મહોરમ તહેવારને અનુલક્ષીને જિલ્લા વહીવટ તંત્રએ સતર્કતા દાખવી છે. શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામું અનુસાર, તા. 04 જુલાઈથી 08 જુલાઈ 2025 સુધી, કોઈપણ વ્યક્તિએ:
કોઈપણ જાહેર કે ખાનગી સ્થળે પશુઓની કતલ કરવી કે કરાવવી નહીં
કોઈપણ પ્રકારના માંસ, હાડકા કે અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા નહીં
જાહેરનામું ખાસ કરીને મહોરમના તહેવારના પ્રાસંગિક સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર લાવવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોચે અને કોઈ પ્રકારની અસામાજિક ઘટનાઓ ન બને તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
જાહેરનામાની અવગણના કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે. તંત્રએ જાહેર જનતાને પણ સહયોગની અપીલ કરતાં કહ્યું છે કે તહેવાર દરમિયાન કાયદો અને શાંતિ જળવાઈ રહે તે તમામની જવાબદારી છે.
તહેવાર માટે પોલીસ તેમજ વહીવટી તંત્રએ કડક બંદોબસ્ત તૈયાર કર્યો છે અને દરેક વિસ્તારોમાં દેખરેખ માટે અધિકારીઓને નિમણૂક કરવામાં આવ્યા છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ