જુનાગઢ માંગરોળના માનખેત્રા નજીક કરાર પા વાડી વિસ્તારમાં જુનું પાણી વેણ ખુલ્લુ કરાવવા બાબતે ખેડુતોએ મામલતદાર અને ટી.ડી.ઓ ને પાઠવ્યુ આવેદન.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રાના કરાર પા વાડી વિસ્તારના ખેડુતોએ મામલતદાર કચેરીએ અને તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરાઈ હતી જેમા કરાર પા વાડી વિસ્તારમાં તળાવની બાજુમાં વર્ષો જુનું આવેલ પાણીનું વેણ હાલના તબ્બકે બંધ કરેલ હોય જેના હિસાબે રસ્તા ઉપર પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાય અને રસ્તો બંધ થાય તેવી સ્થિતી છે ત્યારે આ પાણીનુ વેણ તાત્કાલિક અસરથી ખુલ્લુ કરાવી આપવા બાબતે ખેડુતો એ માંગરોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવતા ઉગ્ર રજુઆત કરાઈ હતી

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)