માંગરોળના સાંગાવાડા ગામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના ઉપક્રમે વૃક્ષારોપણ અંતર્ગત “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંગાવાડા મુકામે નેશનલ હાઇવે ઓથોરાઇડ્સ એન્જિનિયર વત્સલભાઈ પટેલ સહીત અધિકારીઓની ઉપસ્થિતીમાં વૃદ્ધાશ્રમ સદભાવના ટ્રસ્ટ ના ઉપક્રમે એક પેડ માં કે નામ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમા માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ .

આ અવસરે તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા, સાંગાવાડા સરપંચ ભરતભાઈ માલમ સહીતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)