માંગરોળમાં અગ્નિવીર યુવાનના સ્વાગતમાં ભવ્ય રેલી યોજાઇ.

ભારત માતા કી જય વંદેમાતરમ નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યુ.જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખારવા સમાજનો ગૌરવ “પ્રિતેશભાઈ અશ્વિનભાઇ ચોરવાડી” દેશની સેવા અને સુરક્ષા માટે અગ્નીવિર ઇન્ડિયન આર્મી ની છ મહીનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરેવતન આવતા માંગરોળ બાયપાસ ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સન્માન અને સામૈયા કરવામાં આવ્યા અને ત્યારબાદ બાયપાસ ચોકડી વિવેકાનંદ ગેટથી ટાવરરોડ લીમડાચોક થઈ બંદર સુધી ડીજેના તાલે હજારો મોટરસાયકલો સાથે વિશાળ બાઇટ રેલી યોજવામાં આવી હતી.


આ પ્રસંગે ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ ગોસીયા, વેલજીભાઈ મસાણી , નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, પ્રફુલભાઈ નાંદોલા, પરેશભાઈ જોષી, બજરંગ મંડળ પ્રમુખ કાંતીભાઇ ચાવડા સહિત ખારવા સમાજ ના આગેવાનો સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખારવા સમાજના યુવાનો દ્વારા અગ્નિવીરોનું પુષ્પવર્ષા થી સ્વાગત તેમજ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


ભારત માતા કી જય વંદેમાતરમ નારાઓ સાથે સમગ્ર વિસતાર દેશ ભક્તિમય નો માહોલ સર્જાયો અને ખારવા સમાજમાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી માંગરોળ-જુનાગઢ