માંગરોળમાં તન્ના પરિવારને શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્વ.રૂપવતીબેનના ચક્ષુદાનનું પ્રમાણપત્ર અર્પણ કરાયું.

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં રહેતા સિંધી સમાજના પરસોતમભાઈ કુંદનદાસ તન્ના, ઈશ્વરભાઈ કુંદનદાસ તન્ના, લચ્છુભાઈ કુંદનદાસ તન્ના તેમજ મુરલીધરભાઈ કુંદનદાસ તન્નાના માતૃશ્રી સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમા મુખ્યાણી)ઉ.વ. 85નું તા.08.02.2025 શનિવારના રોજ દુઃખદ અવસાન થયુ હતું, આ દુઃખદ સમયે તેમના પરિવારની ઈચ્છાથી તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.

ત્યારે આજ રોજ તા.20.02.2025ના રોજ શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ આઈ બેંકના માધ્યમથી સ્વ.રૂપવતીબેનના ચક્ષુદાનનું પ્રમાણપત્ર સાથે શ્રીમદ્ ભાગવત્ ગીતા માંગરોળ સમસ્ત સિંધી સમાજ નવયુવક મંડળના પ્રમુખ અને પત્રકારશ્રી પ્રકાશભાઈ લાલવાણીના હસ્તે તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ સ્વ.રૂપવતીબેનને શ્રદ્ધાંજલી અર્પણ કરી પરિવારજનોને સાંત્વના આપી હતી, તન્ના પરિવારના આ ઉમદા વિચાર થકી બે પ્રજ્ઞા ચક્ષુઓને નવી રોશની મળશે એ બદલ તેમના આ માનવસેવાકીય કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

અહેવાલ: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)