જૂનાગઢ જિલ્લાની માંગરોળ બંદર વિસ્તારમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષ ૨૦૨૫માં ૧૮મા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ૧૮ નવદંપતિઓએ સાથે મળીને પ્રભુતામાં પગલા માંડ્યા અને તેમનું સુખદ દાંપત્ય જીવન માટે આશીર્વાદ મેળવ્યો.
સવારના સમયે મંડપ રોપણ વિધિ પૂર્ણ કરીને સાંજે બંદર વિસ્તારમાં ૧૮ વરઘોડા ડીજેના ધમાલ તાળે શોરગુલ સાથે લગ્નમંડપ સુધી પહોંચ્યા. ત્યારબાદ પરંપરાગત રીતે નવદંપતિઓને તેમના પરિવારજનો દ્વારા લગ્ન મંડપ સુધી લઈ જઈને તેમના માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
આ ભવ્ય સમારંભમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, વેરાવળથી ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, અને શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઉપરાંત મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળ ખારવા સમાજ દ્વારા દાતાઓના સહયોગથી નવદિકારીઓને પુરતો કરિયાવર આપવામાં આવ્યો હતો અને સમુહલગ્નમાં જોડાયેલા દરેક નવદંપતિઓને બેંકની ફિક્સડ ડિપોઝિટની રસીદ પણ આપવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે, માંગરોળ ખારવા સમાજ વર્ષ ૨૦૦૦થી સતત આ પ્રકારની સમુહલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા નવદંપતિઓનું લગ્નજીવન સુખદ અને સ્વસ્થ રહે તે માટે HIV અને થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરે છે.
આ ભગીરથ કાર્યોમાં માંગરોળ ખારવા સમાજના સક્રિય આગેવાનો સહિત મુંબઈ અને ચોરવાડ ખારવા સમાજના પ્રમુખો અને યુવા મિત્રમંડળોએ પણ મહત્ત્વનો યોગદાન આપ્યું છે.
આ કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષક રમેશભાઈ જોષીએ કળાત્મક રીતે કર્યું હતું, જેના કારણે આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો.
અહેવાલ : પ્રકાશ લાલવાણી, માંગરોળ-જુનાગઢ