માંગરોળ પત્રકાર મિત્ર મંડળ દ્વારા બાય બાય નવરાત્રી 2024 નું ભવ્ય અને સફળ આયોજન કરાયુ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં પ્રથમવાર પત્રકાર મિત્ર મંડળ આયોજીત બાય બાય નવરાત્રી 2024 નુ ભવ્ય અને સફળ આયોજન યોજાતા સમગ્ર પંથકની જનતાએ પ્રસંશા વરસાવી હતી.પ્રથમ મહંતશ્રી યોગીજી મહારાજના હસ્તે દિપપ્રાગટ્ય બાદ આયોજકો ખૈલયાઓ અને અગ્રણીઓ હસ્તે માતાજી ની આરતી કરી ગ્રાઉન્ડ ખુલ્લો મુકાતા અવનવા ટ્રેડિશનલ ભાતીગળ ડ્રેસોમાં સજ્જ થઈ સિનીયર જૂનિયર અને લિટલ ખૈલયાઓએ સાદા પંચિયા ફ્રિસ્ટાઇલ ડાકલા ટીટોરા રાસ જેવા અલગ અલગ રાઉન્ડમાં નવા નવા સ્ટેપ સાથે રાસગરબાની રમઝટ બોલાવતા કોને સિલેક્ટ કરવા કોને નહી કરવા તેવા મુંજવણમાં નિર્ણાયકો પણ પડ્યા હતા. આખરે નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ માંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વેલ ડ્રેસ અને વેલ સ્ટાઈલ ના ખૈલયાઓ પસંદગી કરનાર તમામ ખૈલયાઓ ને આયોજક પત્રકાર મિત્ર મંડળ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

બાય બાય નવરાત્રી મહોત્સવ નુ સુંદર આયોજન કરવા બદલ તમામ આયોજક પત્રકારો મિત્રો ગુણવંત સુખાનંદી બાપુ, વિનુભાઈ મેસવાણીયા, જીતુભાઈ પરમાર, પ્રકાશભાઈ લાલવાણી,નિતીનભાઈ પરમાર,વિવેકભાઈ મહેર, સંજયભાઈ વ્યાસ નિલેશભાઈ રાજપરાને તેમજ તમામ વિજેતા ખૈલયાઓ ને ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે માંગરોળ-માળીયા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પોરબંદર કુતિયાણા, ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, માંગરોળ મામલતદાર રાજેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી આર વી ઓડેદરા, રાજભા ચૂડાસમાં (મામા સરકાર), ભાજપના રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, સરકારી ઓડવોકેટ પીપી‌ શ્રીમાળી, ચેતનભાઇ કગરાણા, વાલભાઈ ખેર, દાનભાઈ ખાંભલા, પરેશભાઈ જોષી સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ, અધિકારીઓ ડોક્ટરો વેપારીઓ, અને વિશાળ સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિતિ રહી આયોજકો અને ખેલૈયાઓ ના ઉત્સાહ અને ઉમંગ વધારો કર્યો હતો.સમગ્ર મહોત્સવનો સુંદર સંચાલન જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યો હતો

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)