માંગરોળ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અને પોલીસ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મહારાષ્ટ્ર ના કથાકાર સામે ગુન્હો નોંધવા બાબતે ધી માંગરોળ બૈતુલમાલ ફંડ ના નેજા હેઠળ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મુસ્લિમ સમુદાય ની ધાર્મિક લાગણી દુભાવનાર આ કથાકાર મહારાજ સામે તાત્કાલિક શિક્ષાત્મક અને કડક કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે માંગરોળ સમગ્ર મુસ્લિમ સમાજના પ્રમુખો આગેવાનો તથા ઉલમાઓ સહિતના મોટી સંખ્યામાં લોકોએ માંગરોળ મામલતદાર અને પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)