માંગરોળ વહીવટીતંત્ર દ્વારા શેખમીયા તળાવની પેશકદમી દુર કરવાની કામગીરી હાથ ધરાઈ..

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી શેખમીયા તળાવની સરકારી જગ્યા ઉપર કબજો જમવ્યો હતો અને આ બાબતે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા ની સૂચના થી વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી પેશકદમીની જગ્યા ખુલ્લી કરાતા ભુ માફીયાઓમા ફફડાટ ફેલાયો

માંગરોળ મામલતદાર આર ડી પરમાર ના દેખરેખ હેઠળ સીટી તલાટી બાબુભાઈ મુછાળ અને પોલીસ સાથે કાર્યવાહી આરંભી વર્ષો જુનુ દબાણ દુર કરી 2600 ચોરસ મીટર જેટલી જગ્યા સરકાર હસ્તક લેવામાં આવી હતી

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)