યાત્રિયોની સુવિધા માટે રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી ચાલતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના દિશા નિર્દેશ હેઠળ, 13 ફેબ્રુઆરી, 2025 થી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન (19271) દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે. ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાની ઉપસ્થિતીમાં ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે. આ ટ્રેનની ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે,
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નં. 19271 ભાવનગર – હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 13.02.2025 થી દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને શનિવારે પ્રાતઃ 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર – ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 15.02.2025 થી દર શનિવારે પ્રાતઃ 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે,
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)