માળીયા તાલુકાના તુવેર વાવતા ખેડૂતો માટે શિબિર યોજાઈ…ધારાસભ્ય ભગવાનજીભાઈ કર્ગાથીયા સહિત ખેડૂતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ માં યોજાયો કાર્યક્રમ..

જૂનાગઢ

NCCF દ્વારા માળિયા હાટીના તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના ખેડૂતો માટે ખાસ આયોજન રાખવામાં આવ્યું હતું…આ તકે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન તેમજ તુવેર નું બિયારણ કીટ ફ્રિ માં આપવામાં આપવામાં આવી હતી

આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ખેડૂતો સહિત NCCF ગુજરાત બ્રાંચ મેનેજર અરવિંદ કુમાર મિક્ષા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ચંદુભાઈ મકવાણા, હમિરસિંહ સિસોદિયા સહિત માનસિંહભાઈ લાખાણી, તાલુકા કિસાન સંઘ પ્રમુખ જે.કે.કાગડા સહિત ખેડૂત લક્ષી કાર્યક્રમ નો લાભ લઈ માહિતી મેળવી હતી આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વોટર સાઈડ રિસોર્તના ઓનર માનસિંહ સિસોદિયા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ હતી કે માટે nccf દ્વારા તેઓના આભાર માનવામાં આવેલ..

અહેવાલ :- પ્રતાપ સિસોદિયા (માળીયા હાટીના)