જૂનાગઢ (11 એપ્રિલ, 2025):
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ આજે જૂનાગઢ જિલ્લાના ચાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત લીધી હતી. આ દૌરાન, તેમણે મહંત મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિઓની બિરદાવી કરી હતી.
મુખ્યમંત્રીએ બ્રહ્માનંદ આશ્રમ દ્વારા ચલાવાતી શૈક્ષણિક અને સેવાકાર્યની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી અને સંસ્થાના શિસ્તબદ્ધ વાતાવરણની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુક્તાનંદ બાપુએ યજ્ઞકુંડમાં શ્રીફળની આહુતિ આપી.
મુખ્યમંત્રીના સ્વાગત માટે, મહંત મુક્તાનંદ બાપુએ તેમણે શાલ ઓઢાડી અને પુષ્પગૂચ્છ અર્પણ કરીને પરંપરાગત સ્વાગત કર્યું.
વિદ્યાર્થીઓએ “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” ના ઉચ્ચારણ સાથે મુખ્યમંત્રીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, અને તેમની તરફથી સ્વહસ્તે તૈયાર કરેલા સ્કેચ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા.
પ્રસંગ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો:
- સાંસદ રાજેશભાઈ ચુડાસમા
- જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા
- જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન
- ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા
- જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા
- જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ
અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ