મેંદરડા તાલુકાના સમઢીયાળાથી દિવ્યાંગ સંસ્થા ના દિવ્યાંગોને સોમનાથ દાદાના દર્શને લઈ જવાયા.

જૂનાગઢ

શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સમઢીયાળા ગીર સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડામાં ગંગેડી ખાતે કાર્યરત છે આ સંસ્થામાં 21 જેટલા દિવ્યાંગો આશરો લઈ ગયેલ છે આ દિવ્યાંગો એવા છે કે જેમને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ ભાન નથી પાણી ખોરાક સોસ ક્રિયા વગેરે માટે બીજા પર આધાર રાખવો પડે છે

પ્રાકૃતિક અને નયન રમ્ય વાતાવરણમાં આ સંસ્થામાં આ દિવ્યાંગ બાળકોનો ખૂબ જ સ્વસ્થતાપૂર્વક માવજત કરવામાં આવે છે સંસ્થામાં રમતગમત વ્યાયામ વગેરે દરરોજ કરાવવામાં આવે છે અને 15 દિવસે આ દિવ્યાંગ બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવે છે દર વર્ષે વેરાવળમાં સોમનાથ મહાદેવના મંદિરે આ દિવ્યાંગોને દર્શન કરવા માટે લઈ જવાય છે તાજેતરમાં આ સંસ્થા માંથી આ બાળકોને દિવ્યાંગોના દેવ મહાદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા લઈ જવામાં આવ્યા હતા

સોમનાથ ટ્રસ્ટ વતી આ દિવ્યાંગોને સારી એવી સગવડતા કરી દેવામાં આવી હતી દિવ્યાંગોને મંદિર સુધી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને આ દિવ્યાંગ બાળકોને મંદિરમાં જવા માટે લિફ્ટ માં લઈ જવામાં આવ્યા હતા. આવી રીતે આ દિવ્યાંગ બાળકોને વીઆઈપી દર્શન કરાવ્યા હતા દેવ સ્વરૂપ આ બાળકો આવા વાતાવરણથી ખૂબ જ આહલાદકતા અનુભવતા હતા
આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઇ જોશી એ સોમનાથ ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના બાળકોને આવો જ પ્રેમ અને હું ફ મળી રહે તેવી હૃદય પૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી તેમની યાદીમાં આ પ્રમાણે જણાવવામાં આવેલ છે

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)