યાત્રિયોની સુવિધા માટે કુકાવાવ સ્ટેશન પર રેલ ટિકિટ રિઝર્વેશનની સુવિધા શરૂ કરવામાં આવી.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના કુકાવાવ સ્ટેશન પર 18.09.2024 (બુધવાર) થી રેલ ટિકિટ આરક્ષણ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી પ્રથમ શિફ્ટમાં સવારે 8:00 કલાક થી 11:30 કલાક સુધી અને બીજી શિફ્ટમાં 16.00 કલાક થી 18.30 કલાક સુધી ખુલ્લું રહેશે. રવિવારે રિઝર્વેશન સેન્ટર સવારે 8:00 થી 11:30 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)