રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ નું તંત્ર આવ્યું એકશન મોડ માં…

ગીર સોમનાથ

પાલિકા તંત્ર એ 45 અસામીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે જેમાં 11 ખાનગી શાળાઓને શિક્ષણ કાર્ય બંધ કરવા તાકીદ કર્યું. ઉપરાંત હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડીંગ તેમજ ગીચ બજારો માં આવેલા કોમ્પલેક્ષ ને નોટિસો આપવામાં આવી છે.દસ દિવસ ની મહેતલ નહીં તો સિલીગની કાર્યવાહી ના નિર્દેશ કર્યા છે..પાલિકા તંત્ર ની સાથે શિક્ષણ વિભાગ પણ હરક્તમાં આવ્યું છે.શિક્ષણ વિભાગે 06 ટયુશન કલાસીસ અને 01 અનઅધિકૃત શાળા ને સીલ કરી છે.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)