લોએજ ગામના વતની પ્રદ્યુમનભાઈ નંદાણિયાને રાજ્યસ્તરનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ

જૂનાગઢ,

લોએજ ગામના વતની અને ધણેજ ગામની સરકારી શાળાના શિક્ષક, પ્રકૃતિપ્રેમી પ્રદ્યુમનભાઈ લક્ષ્મણભાઈ નંદાણિયાને **”પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ – 2025″**થી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ગાંધીનગરમાં યોજાયેલ વિશિષ્ટ કાર્યક્રમમાં GCERTના સચિવ ડુમરાળીયા સાહેબના હસ્તે પ્રદ્યુમનભાઈને આપવામાં આવ્યો.

પ્રદ્યુમનભાઈએ “51 સરકારી કચેરીઓમાં સ્વખર્ચે વૃક્ષારોપણ” કરીને 21000 વૃક્ષો વાવવાનો દાવિારો કર્યો છે. તેમના પર્યાવરણ માટેના અદ્વિતીય કાર્યને માન્યતા અપાવતાં તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

પ્રદ્યુમનભાઈ નંદાણિયાને આ એવોર્ડ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવામાં આવી છે.

અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ