📍 સુરત | સોમવાર
આગામી 7 માર્ચના રોજ સુરતના લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ‘સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ’ યોજાનાર છે. કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા અને આયોજનનો તાગ મેળવવા રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત લીધી.
ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની ચર્ચાઓ
કાર્યક્રમ સ્થળની સુરક્ષા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, ડીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા પૂરવઠા અધિકારી ડી.ડી. શાહ સહિત વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.
📌 રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે:
- કાર્યક્રમ સ્થળની તટસ્થ પરિષ્તિની સમીક્ષા કરી.
- સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ એક્શન પ્લાનની સમીક્ષા કરી.
- સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા.
સમારોહ માટે સંપૂર્ણ બંદોબસ્ત
રાજ્ય પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મહત્વના પોઈન્ટ્સની સમીક્ષા કરી અને આગામી દિવસોમાં સુરક્ષા સિસ્ટમ વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશ આપ્યા.
આમ, વડાપ્રધાનશ્રીના મહત્વના કાર્યક્રમને લઈ સુરત પોલીસ અને વહીવટી તંત્ર પૂર્ણ ચુસ્તતા સાથે તૈનાત છે.
📍 માહિતી બ્યુરો, સુરત