વડોદરા:
શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે આજે અશોભનીય દૃશ્ય સર્જાયું, જ્યાં હાજર પોલીસકર્મીએ અમદાવાદથી આવેલા એક વકીલને લાફા મારી દેતા કોર્ટના પ્રાંગણમાં હંગામો સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થતાં વાત ઉગ્ર બની હતી.
પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે કોઈ નિવેદન કે કાર્યવાહી બાબતે થયેલા મતભેદના કારણે વડોદરા પોલીસે સંયમ ગુમાવી બે લાફા ઝીંકી દીધા. ઘટનાની જાણ થતાં કોર્ટમાં હાજર અન્ય વકીલોએ ઘેરાવ કરતા વાત વધુ ઉગ્ર બની હતી.
પોલીસ અને વકીલ પક્ષ વચ્ચે તીવ્ર વાકયુદ્ધ થયું હતું. ઘટનાની ગંભીરતા જોઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કોર્ટ સ્ટાફે મામલો શમાવવા માટે દખલ આપવી પડી હતી.
હાલ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને વકીલ સંઘ દ્વારા આ ઘટનાને લઈને કડક વિરોધ નોંધાવવાની શક્યતા જણાઈ રહી છે.
અહીં નોંધનીય છે કે કોર્ટ કચેરી એ ન્યાયની જગ્યાઓ હોય છે અને તેમાં આવા અણચાહેલા ઘસારા ન્યાય પ્રક્રિયા પર પણ નકારાત્મક અસર કરે છે.