વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ઝોન ચાર હદ વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી માર્ગ પર પોલીસના અધિકારીઓ એ ફૂટ પેટ્રોલિંગ કર્યું.

વડોદરા

આગામી 7 જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સ્ટેશન ખાતેથી નીકળનાર છે ત્યારે વડોદરા શહેરના ઝોન ચાર વિસ્તારમાં આવતા પંચમુખી હનુમાનજી મંદિર થી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીના માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સાથે જીઇબી વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને ઝોન ચાર ના અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં રથયાત્રામાં અડચણરૂપ જણાય તો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આજે ઝોન ચાર માં આવેલ વિસ્તાર માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)