વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાનો સાસણ ગીરનો પ્રવાસ કાર્યક્રમ!!

જૂનાગઢ, તા. ૧: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા આવતીકાલે તા. ૨ માર્ચ અને ૩ માર્ચના રોજ સાસણ ગીરની મુલાકાત લેશે, મંત્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં તેમજ સાસણ ખાતે યોજાનારી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં હાજરી આપશે.

આ પ્રવાસ દરમિયાન વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગિરના જંગલ, પર્યાવરણ સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ અંગે મહત્વની ચર્ચાઓ થશે. તેમજ સિંહ અભયારણ્યની સંભાળ અને પર્યટન વિકાસ બાબતે વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ મંત્રીશ્રીએ કરશે.

પ્રયાણ પૂર્ણ થયા બાદ, મંત્રી મુળુભાઈ બેરા ગાંધીનગર માટે રવાના થશે.

(અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ)