વરાછા પોલીસની ઘનશ્યામનગરમાં કુટણખાનાં પર રેડ, સંચાલિકા સહિત 10 શખ્સો ઝડપાયા

સુરત :
વરાછા પોલીસે શહેરના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. moral policing હેઠળ કાર્યવાહી કરતાં પોલીસે એક મહિલાસંચાલિકા સહિત ત્રણ દલાલો અને છ ગ્રાહકોને ઝડપી લીધા છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ભારતીય દંડ સંહિતાની કલમો અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘનશ્યામનગર વિસ્તારમાં લાંબા સમયથી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ વરાછા પોલીસ ટીમે તત્કાલ રેડ કરી હતી. દરોડા દરમ્યાન સ્થળ પરથી કુલ 10 શખ્સોનો કબ્જો લેવામાં આવ્યો હતો જેમાં મુખ્ય સંચાલિકા એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે.

સાથે જ દલાલ તરીકે કામ કરતા ત્રણ શખ્સો અને ગ્રાહક તરીકે હાજર રહેલા છ યુવકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ તપાસ માટે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ શખ્સોની પુછપરછ શરૂ કરવામાં આવી છે તેમજ કુટણખાનાંની પાશ્વભૂમિ, સંડોવાયેલા અન્ય તત્વો અને નેટવર્ક અંગે પણ તપાસ ચાલુ છે.