સ્વચ્છ ભારત મિશનની 11મી વર્ષગાંઠના અવસરે વલ્લભીપુર નગરપાલિકામાં “સ્વચ્છતા હી સેવા – 2025” હેઠળ સ્વચ્છોત્સવ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ત્રણ પખવાડિયા ચાલશે અને નગરના તમામ વિસ્તારોમાં સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન થશે.
🏛️ ઉદ્ઘાટન અને ઉપસ્થિતિ
જીએન.ગોટી કેન્દ્રવર્તિ પ્રાથમિક શાળામાં વિજયસિંહ એમ. ગોહિલના પ્રમુખસ્થાને અને નગરપાલિકાના અધ્યક્ષસ્થાને અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો.
ઉપસ્થિત રહ્યા:
નગરપાલિકા સભ્યો
ચીફ ઓફિસર ડો. વી.એન. પંડિત
નગરપાલિકા સ્ટાફ અને શહેરના જનતા
અભિયાનના આરંભે સ્વચ્છતા શપથ લેવાયો અને અધ્યક્ષ દ્વારા નગરમાં સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
🧹 અભિયાનની વિશેષતાઓ અને આયોજન:
17 – 22 સપ્ટેમ્બર:
બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, રીક્ષા/ટેક્સી/સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ
રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરી માર્ગો
23 – 29 સપ્ટેમ્બર:
ધાર્મિક સ્થળો, સંગ્રહાલય, પ્રવાસન સ્થળો
બાગ-બગીચા, ઐતિહાસિક સ્થળો, ટ્રેકિંગ અને કેમ્પિંગ સ્થળો
30 સપ્ટેમ્બર – 6 ઓક્ટોબર:
નદી, તળાવ, સરોવર, દરિયાકિનારા, વરસાદી પાણીના નાળા
7 – 13 ઓક્ટોબર:
શહેરના સર્કલ, ચાર રસ્તા, સિગ્નલ, ખુલ્લા પ્લોટ, પ્રતિમાઓ, બેક લેન્સ
14 – 20 ઓક્ટોબર:
વાણિજ્ય વિસ્તારો, APMC, શાકભાજી માર્કેટ, સ્ટ્રીટ ફૂડ માર્કેટ
21 – 27 ઓક્ટોબર:
સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, હૉસ્પિટલ, ખાનગી અને સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો
28 – 31 ઓક્ટોબર:
આઉટગ્રોથ વિસ્તાર, એન્ટ્રી પોઈન્ટથી એપ્રોચ વિસ્તાર
ફૂટપાથ, રોડ, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને આસપાસના વિસ્તારો
🎯 હેતુ
આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરને સ્વચ્છ, હરિયાળું અને સજીવ રાખવો, જનભાગીદારી દ્વારા સ્વચ્છતા જાગૃતિ ફેલાવવી અને નગરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવી છે.
📌 અહેવાલ : સતાર મેતર, ભાવનગર