અહેવાલ : હર્ષ પટેલ, વડોદરા
વાઘોડિયા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા લોક સમસ્યા નિવારણ માટે વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા મામલતદાર, TDO, MGVCL તથા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
મીટિંગમાં વાઘોડિયા તાલુકાના અનેક ગામોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વીજળી સંબંધિત અનેક સમસ્યાઓને લઈ રજૂઆત કરી હતી. વિશેષ કરીને MGVCLના વાઘોડિયા તથા ખટંબા વિભાગ દ્વારા વારંવાર વીજ પુરવઠામાં ખલેલ આવે છે, લાઇનમાં ભૂલો છે, તથા અધિકારીઓ ફોન પર ફરિયાદોનું નિરાકરણ નથી આપતા — તેવી શિકાયત બહોળી પ્રમાણમાં જોવા મળી હતી.
ધારાસભ્ય વાઘેલા બાપુએ MGVCLના અધિકારીઓને જાહેરમાં આડે હાથે લઈ જવાબદારીનું પાલન કરવા માટે તાત્કાલિક સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, “પ્રજાની સમસ્યા સાંભળવી અને તેનો ઉકેલ લાવવો એ તમારી ફરજ છે. વારંવાર વીજ કાપ, નાબૂદ સેવા અને નાગરિકોની અવગણના કોઇ પણ હાલતમાં સહન નહિ થાય.“
આ મિટિંગ અંતે MGVCLના અધિકારીઓએ તમામ નાગરિકો સમક્ષ ખાતરી આપી કે વીજ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે અને ફોન કૉલ્સ તથા ફીલ્ડ કામગીરીમાં સુધારો લાવવામાં આવશે.
ધારાસભ્ય વાઘેલાનું આ પરિણામ લાવતું વિહંગમ ઢબે કાર્ય પધ્ધતિ સામે ખુલ્લી ટકોર કરવું — પ્રજાના હિત માટેના તેમને અહિંસક રીતે લડતનું ઊદાહરણ છે.