વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિજયનગરના” પાલ દઢવાવ ખાતે વીરાંજલી વન અને શહીદ વન રોશનીથી ઝળહળી ઉઠ્યું

સાબરકાંઠા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજય ભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. જન ભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતેના વીરાંજલી વન અને શહીદ વનને આકર્ષક રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી શણગારવામાં આવ્યુ છે. આદિવાસી સ્મારક વીરાંજલી વન અને શહીદ વનને મનમોહક રોશનીથી સજાવવામાં આવતાં આ નજારો જોઈ આસપાસના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)