૮૬ માલિડા અને ૧૧૧ નવા વઘાણીયા મતદાન મથક પર ફરીથી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું, ચૂંટણી પંચે અગાઉ રદ કર્યું હતું મતદાન
જૂનાગઢ જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણી-૨૦૨૫ અંતર્ગત મતદાન દરમિયાન આવેલી અનિયમિતતાઓને પગલે ભારતના ચૂંટણી પંચ દ્વારા સને ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૫૮(૨) મુજબ બે મતદાન મથકો – ૮૬ માલિડા અને ૧૧૧ નવા વઘાણીયા – પર થયેલું મતદાન રદ કરાયું હતું.
📅 પુનઃમતદાનની તારીખ:
૨૧મી જૂન, ૨૦૨૫ (શુક્રવાર)
🗳️ વિસ્તૃત મતદાન વિગતો:
૮૬ માલિડા મતદાન મથક: ૮૦.૪૧% મતદાન
૧૧૧ નવા વઘાણીયા મતદાન મથક: ૮૨.૫૯% મતદાન
👉 સરસરી મતદાન દર: ૮૧.૧૧%
✅ મતદાતાઓમાં પુનઃમતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને મથક પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર અને સુરક્ષા દળો દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત સાથે મતદાતાઓ માટે અનુકૂળ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.
📌 પુનઃમતદાન સંબંધિત તંત્રની ચુસ્ત વ્યવસ્થા અને મતદાતાઓના સહકારને લઈ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક નિમિર્ળિ રહી છે.
– અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ