વિવાદાસ્પદ ફિલ્મ “મહારાજ” અંગે જૂનાગઢમાં સાધુ સંતો મહંતો ની બેઠક મળી.

જૂનાગઢ

તા.૨૦/૬ ના રોજ ભૂતનાથ મંદિર, જૂનાગઢ ખાતે વિવાદાસ્પદ ફિલ્મ “મહારાજ” અંગે મોટી હવેલીના શ્રી પિયુષબાવાશ્રી તથા ગિરનાર મંડળના પ્રમુખ સંતો શ્રીમુકતાનંદ બાપુ, યોગીશ્રી શેરનાથ બાપુ,શ્રી મહેશગિરી બાપુ,શ્રી મહાદેવ ભારતી બાપુ, શ્રી મહંત મહાદેવ ગીરી બાપુ , શ્રી અમૃતગીરીબાપુ (ચકાચક બાપુ), શ્રી કિશનદાસજી બાપુની બેઠક મળી હતી, સર્વે સંતોએ સાથે મળીને આ પ્રકારની ફિલ્મ દ્વારા સનાતન ધર્મ પર થઇ રહેલા પ્રહારોનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને આગામી સમયમાં સનાતન ધર્મના રક્ષણ માટે સૌ સાથે મળીને જે કંઈ પણ કાર્યવાહી કરવાની થતી હશે તેમાં સાથે રહેવા સંમતિ દર્શાવી હતી, આ અંગે આગામી સમયમાં સંભવતઃ સંત સંમેલન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)