જુનાગઢના ગિરનાર પર્વતની પાવન છાંયામાં, પર્યાવરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ નિમિતે અનોખું અને ઉદ્દેશપૂર્ણ વોકેથોન આયોજન કરવામાં આવ્યું.
આ વોકેથોન કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના માર્ગે પર્યાવરણ પ્રેમી નાગરિકો, રમતગમત ક્ષેત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ પદયાત્રા કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવ્યો.
આ વોકેથોનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, ટીમ મેનેજરો, કોચ અને ટ્રેનરો, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સ્ટાફ સભ્યો તથા શહેરના અનેક પર્યાવરણપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દિલથી જોડાયેલી આ પદયાત્રાના માધ્યમથી પર્યાવરણની મહત્તા, વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું મેસેજ જનસામાન્ય સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.
જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આવી પ્રવૃત્તિઓથી યુવાનો અને નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો ભાવ જગાડી શકાય છે અને ભૂતકાળમાં થયેલા નુકસાનને અવશ્ય સુધારી શકાય છે
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ