વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ સંગઠન માં નવા શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ ની વરણી કરવામાં આવી હતી

કેશોદ

આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમયાંતરે સંગઠન માં પ્રમુખો ની વરણીઓ માં ફેરફાર થતા હોય છે ત્યારે વી.હી.પ.શહેર પૂર્વ પ્રમુખ શ્રી વિશાલભાઈ સોલંકી 3 વર્ષ થી વધુ સમય સુધી સેવાઓ આપેલ હતી જેમાં આજે તેમનો જવાબદારી નો સમય સમાપ્ત થયેલ હોઈ ત્યારે સ્વૈચ્છિક રાજીનામુ આપેલ હોઈ અને નવા શહેર પ્રમુખ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાલભાઈ ભટ્ટ ની નિમણુંક જાહેર કરેલ હતી અને આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ-દુર્ગાવાહીની-માતૃશક્તિ સંગઠન ના હોદેદારો કાર્યકરોની ઉપસ્થિત રહી ખેસ પહેરાવી જવાબદારી સોંપવામાં આવી હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)