વિસાવદર ચૂંટણીમાં સોશ્યલ મીડિયા અને તળપદી ભાષાના વિશ્લેષણો બન્યા જીતનો ટર્નિંગ પોઈન્ટ: લોકજાગૃતિનું અનોખું ઉદાહરણ

વિસાવદર: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોમાં જાગૃતિ લાવવાનું મુખ્ય મોહળું એટલે જીઓનું ઝડપી 5G નેટવર્ક, સોશ્યલ મીડિયા અને સ્થાનિક પત્રકારિતાનું જાળું.
આ વખતે વિસાવદરની ચૂંટણીમાં મતદારો સુધી સાચી માહિતી પહોંચાડવામાં યુટ્યૂબ, ફેસબુક તથા સ્થાનિક ન્યૂઝ ચેનલોએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગોપીબેન, દેવાંશીબેન અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સહિતના ન્યૂઝ એડિટરો દ્વારા ચૂંટણીના રોજબરોજના અપડેટ્સ સરળ ભાષામાં આપવામાં આવ્યા હતા, જેના કારણે મતદારો સુધી દરેક પક્ષની નીતિ અને પ્રચારની સંપૂર્ણ હકીકત ઝડપથી પહોંચી હતી.

વિશેષ કરીને જગદીશભાઈ મહેતાએ સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં કરેલા નિખાલસ વિશ્લેષણોએ લોકદ્રશ્ય બદલવામાં અનોખું યોગદાન આપ્યું હતું. તેમણે પોતાના અંદાજમાં કહ્યું હતું કે, “વિસાવદરમાં કોંગ્રેસના નેતાઓને તો હવે ભોજીયો ભાઈ પણ ઓળખતા નથી અને પોદળામાં હાઠીકું ખોડેલું છે.” આવી સીધી અને તાત્કાલિક અસરકારક ભાષાએ લોકોને ઝડપથી પ્રભાવિત કર્યા.

જગદીશભાઈએ જણાવ્યું હતું કે ગોપાલ ઈટાલીયાની રણનીતિ સરળ, વાસ્તવિક અને મતદારોના હૃદય સુધી પહોંચતી હતી, જેને લોકોએ સ્વીકારી હતી. તેમણે અગાઉથી જ એમ જણાવ્યું હતું કે “વિસાવદરમાં ગોપાલ જીતે છે, જીતે છે અને જીતે છે, એને કોઈ રોકી શકે નહીં.

વિસાવદરની ચૂંટણી દરમ્યાન લોકોએ પોતાનું મતદાન કરી ને માત્ર ફરજ બજાવી નહિ પરંતુ લોકશાહીની સાચી ઉત્સવ તરીકે આ ચૂંટણીનો આનંદ પણ માણ્યો.

👉 મુખ્ય મુદ્દા:
✔️ 5G નેટવર્ક અને સોશિયલ મિડિયાનો પ્રભાવકારક ઉપયોગ
✔️ તળપદી ભાષામાં કરેલું લોકપ્રિય ચૂંટણી વિશ્લેષણ
✔️ ગોપાલ ઈટાલીયાની સ્પષ્ટ અને જનમન જીતી લેનારી રણનીતિ
✔️ પત્રકાર જગદીશભાઈ મહેતાનું આગોતરુ પરિણામ વિશ્લેષણ સાચું પડ્યું

📝 અહેવાલ: જગદીશ યાદવ – જૂનાગઢ